રનવેને ૪૦૦૦ મીટર સુધી લંબાવવા રાજ્ય સરકાર પાસેથી ૭૭ એકર વધારાની જમીનની માંગ
એરપોર્ટ સુધી પહોચવાના ભાડા ઉપરાંત હવાઈ ભાડા પણ આસમાને
માઈનસ્ક્યુલ વિન્ડો વિશે પણ મુસાફરો કરી રહ્યા છે ફરિયાદ
રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ તો કરાયું છે પણ કામગીરી શરૂ કર્યાના ચાર મહિના થઇ ગયા હોવા છતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાયર્સના ૩૦ કિમી દૂર એરપોર્ટ સુધી પહોંચવાથી લઈને કેટલાક મહત્વપૂર્ણ શહેરોમાં જે-તે ફ્લાઈટ્સની અનિયમિતાના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર દિવસ પહેલા જારી કરાયેલા આંકડાઓ મુજબ ૧૦ દિવસમાં ૯૭ ફ્લાઇટની રાજકોટમાં આવન-જાવન થઇ છે, જયારે ૪૭ જેટલી ફ્લાઇટ અલગ અલગ કારણોસર રદ થઇ છે. તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ગત માસમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ૪%નો વધારો થયો છે. જો કે લોકોની મોટી સમસ્યા એ છે કે એરપોર્ટ સુધી પહોચવું સરળ નથી, માત્ર ત્યાં સુધી પહોચવા માટે પિક-અપ ડ્રોપ કે કેબ ડ્રાઈવર્સ ૨,૦૦૦ રૂપિયાથી વધુ વસુલે છે.
૨,૦૦૦ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કર્યા પછી પણ મુસાફરોને ત્યાં પહોંચવા માટે રાજકોટ-અમદાવાદ હાઈવેનો સહારો લેવો પડે છે પરંતુ કુવાડવા પાસેનો રસ્તો દયનીય હાલતમાં છે. હાઇવેને સિક્સ લેન બનાવવાનું કામ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે અને સ્થાનિકો મુજબ ડાયવર્ઝનના કારણે માત્ર સમય નથી વેડફાતો પરંતુ વાહનોને પણ નુકસાન થઇ રહ્યું છે. એરલાઇન્સ મોટા એરક્રાફ્ટ ઓપરેટ કરી શકે તે માટે નવા એરપોર્ટ પર જે હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા હતી, તે સાવ વિપરીત રીતે આકાશને આંબી રહ્યા છે.
ઉદાહરણ તરીકે, રાજકોટ-મુંબઈ વચ્ચેનું વન-વે ભાડું આશરે રૂ. ૪,૨૦૦ થી રૂ. ૫,૦૦૦ છે જ્યારે અમદાવાદ-મુંબઈનું હવાઈ ભાડું રૂ. ૨,૫૦૦ થી રૂ. ૩,૦૦૦ ની વચ્ચે છે, તેમ છતાં તે ગતિશીલ છે અને માંગ પર આધાર રાખે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈન્સને પર્યાપ્ત સંખ્યામાં મુસાફરો નથી મળી રહ્યા અને આ સમસ્યાઓને કારણે તેમણે શિયાળાના ટાઈમ ટેબલમાં ફ્લાઈટ્સની ફ્રિકવન્સી ઘટાડી દીધી છે. સવારે દિલ્હી માટે કોઈ ફ્લાઈટ નથી, તેથી કોઈ વ્યક્તિ એક દિવસની મીટિંગ માટે રાષ્ટ્રીય રાજધાની જવા માંગે તો પણ તેને સુવિધા મળશે નહીં. પૂણે અને ગોવાની ફ્લાઇટની સંખ્યા ઘટાડીને અઠવાડિયામાં ત્રણ દિવસ કરવામાં આવી છે.
મુસાફરો ફ્રી પિક-અપ અને ડ્રોપ માટે માઈનસ્ક્યુલ વિન્ડો વિશે પણ ફરિયાદ કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પિક-અપ અને ડ્રોપ માટે માત્ર ત્રણ મિનિટનો સમય આપ્યો છે. કમિટીએ સર્વે કર્યો છે કે વાહનમાં પ્રવેશ્યા બાદ બહાર નીકળવામાં આઠ મિનિટ લાગે છે. રાજકોટના એક વેપારીએ જણાવ્યું હતું કે, "જો અમે વધુ સામાન લઈ જઈએ અને અમારી પાસે લોકોની સંખ્યા વધુ હોય અને તેમાં પણ વડીલો હોય તો વધુ મુશ્કેલી થાય છે."
જ્યારે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહએ જણાવ્યું હતું કે, “એરલાઈન્સ સામાન્ય રીતે સ્લોટ બુક કરે છે પરંતુ પેસેન્જર ટ્રાફિકના આધારે ફ્લાઈટ્સ ચાલે છે. તેથી અમે એરલાઇન્સને વધુ ફ્લાઇટ્સ ચલાવવા માટે કહી શકીએ નહીં. જ્યાં સુધી પિક-અપ અને ડ્રોપ વિન્ડોની વાત છે તે બધું એએઆઈના નિયમો અનુસાર છે.”
શહેરના એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે, જો નવા એરપોર્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવું હોય તો વધુ સારી સેવાઓ જરૂરી છે. પાર્કિંગના દરો ઘટાડવાની જરૂર છે અને ટેક્સી ભાડાને નિયંત્રિત કરવાની જરૂર છે. આ ઉપરાંત એક જાણીતા બીઝનેસમેનએ જણાવ્યું હતું કે હું હવે મુસાફરી માટે ટ્રેનો પસંદ કરું છું, એરપોર્ટ દૂર છે અને ખરાબ રસ્તાને કારણે પહોંચવામાં ઘણો સમય લાગે છે. જો હું દરેક વસ્તુની ગણતરી કરું તો હું માનું છું કે સુપરફાસ્ટ ટ્રેનો વધુ આરામદાયક છે.
નવા ટર્મિનલને પૂર્ણ થવામાં લાગી લાગી શકે છે વધુ સમય
ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સએ અત્યારે દિવાસ્વપ્ન જેવું લાગે છે. એરપોર્ટ હાલમાં હંગામી ટર્મિનલથી કાર્યરત છે અને નવા ટર્મિનલને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ નક્કી કરવામાં આવી છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયમર્યાદા પૂરી કરવી અઘરી છે. સરકારે કેન્દ્રીય વાણિજ્ય અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સુવિધાઓને ઝડપી બનાવવી પડશે.
એએઆઈ દ્વારા વધુ જમીનની માંગ
એએઆઈએ મોટા એરક્રાફ્ટને સક્ષમ કરવા માટે રનવેને ૩૦૪૦ મીટરથી ૪૦૦૦ મીટર સુધી લંબાવવા માટે રાજ્ય સરકાર પાસેથી ૭૭ એકર વધારાની જમીન માંગી છે. ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, "અમે આવનારા ૫૦ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રનવેનું વિસ્તરણ કરવા માંગીએ છીએ. હાલમાં જમીન ઉપલબ્ધ છે તેથી વિસ્તરણ સરળતાથી થઈ શકે છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech