કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરીઓ, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીઓના પ્રમુખ પદો પર 'લેટરલ એન્ટ્રી' દ્વારા ટૂંક સમયાં 45 નિષ્ણાતોની નિમણૂક કરવાના નિર્ણયને લઈને ઘણી રાજકીય નિવેદનો ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે સરકારના આ નિર્ણયને OBC, SC, ST અનામતની વિરુદ્ધ ગણાવ્યો હતો. આ દરમ્યાન ફરી એકવાર રાહુલ ગાંધીએ આ મામલે સરકારની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, લેટરલ એન્ટ્રી દલિતો, ઓબીસી અને આદિવાસીઓ પર હુમલો છે. ભાજપના રામરાજ્યના વિકૃત બંધારણને નષ્ટ કરવાનો અને બહુજનો પાસેથી અનામત છીનવી લેવાનો પ્રયાસ કરે છે
સરકાર યુવાનોના અધિકારોનું ખૂન કરી રહી છેઃ રાહુલ ગાંધી
આ પહેલા રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, "નરેન્દ્ર મોદી કેન્દ્રીય જાહેર સેવા આયોગને બદલે 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' દ્વારા જાહેર સેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરી ખુલ્લેઆમ SC, એસટી અને ઓબીસી વર્ગોનું આરક્ષણ છીનવાઈ રહ્યા છે. મેં હંમેશા કહ્યું છે કે, ટોચની બ્યૂરોક્રેસી સહિત દેશના તમામ મુખ્ય પદો પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી, તેને સુધારવાની જગ્યાએ લેટરલ એન્ટ્રી દ્વારા તેને મુખ્ય પદોથી વધુ દૂર કરવામાં આવી રહ્યું છે. આ યુપીએસસીની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર લૂંટ છે અને વંચિતો માટે અનામત સહિત સામાજિક ન્યાયની વિભાવના પર હુમલો છે.
સપા અને બસપાએ શું કહ્યું?
લેટર એન્ટ્રી મુદ્દે સપા અને બસપાના વડાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે, આ પદો નિમ્ન પોસ્ટ પર નિયુક્ત કર્મચારીઓને પ્રમોટ કરીને ભરવામાં આવે. SC, ST અને પછાત વર્ગો માટે ક્વોટા સિસ્ટમ લાગુ કરીને આ જગ્યાઓ ભરવામાં આવે. જો કેન્દ્ર સરકાર તેનો અમલ નહીં કરે તો તે બંધારણનું સીધું ઉલ્લંઘન ગણાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIIFA Award 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો, 'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત
September 29, 2024 11:58 AMદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech