કોર્પોરેશનની મિલ્કત વેરા શાખા દ્વારા છેલ્લા અઢી મહીનાથી બાકી રહેલો મિલ્કત વેરો અને વોટર ચાર્જીસ ઉઘરાવવા માટે ડોર-ટુ-ડોર કામગીરી કરવામાં આવી છે, તા.૨૭ સુધીમાં લગભગ રૂ.૮૨ કરોડની આવક થઇ ચૂકી છે, કોર્પોરેશને પ્રથમ વખત ૨૦૦૬ પહેલાના અને ૨૦૦૬ પછીના બાકી રહેતા વેરાની રકમ ઉપર ૧૦૦ ટકા માફીની સ્કીમ જાહેર કરી હતી અને ૩૧ માર્ચ સુધી આ સ્કીમ ચાલું રહેશે, અત્યાર સુધીમાં ૬૧૬૧ લોકોએ સ્કીમનો લાભ લઇને રૂ.૧૨.૦૫ કરોડની ચૂકવણી કરી દીધી છે. આમ ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમથી કોર્પોરેશનને સારો એવો ફાયદો થયો છે, જો કે બજેટની ધારણા કરતા મિલ્કત વેરા અને પાણી ચાર્જીસમાં ધાર્યા કરતા રૂ.૨૬ કરોડ ઓછા મળ્યા છે તેવી વાતો બહાર આવી છે.
ગયા વર્ષના બજેટમાં શહેરની ૨.૮૨ લાખ મિલ્કતના વેરાની આવક રૂ.૯૧ કરોડ અને ૨.૨૧ નળ કનેકશનની આવક રૂ.૩૪ કરોડ થશે તેવી ધારણા કરવામાં આવી હતી, જો કે હજુ ત્રણ દિવસ બાકી છે, દર વખતે છેલ્લે-છેલ્લે પણ સરકારી કચેરીઓ અને મોટી-મોટી બિલ્ડીંગોના માલિકો દ્વારા માર્ચ એન્ડીંગમાં કોર્પોરેશનને ચેક આપવામાં આવે છે.
મિલ્કત વેરો ન ભરનારાઓ ૩૦ જેટલા કોમર્શીયલ મિલ્કત ધારકોની મિલ્કત સીલ કરી દેવામાં આવી છે, ત્યારે આ વર્ષે પણ કડક ઉઘરાણી શરૂ કરવામાં આવી છે, ટેકસ અધિકારી નિકુંજ શુકલના માર્ગદર્શન હેઠળ કોર્પોેરેશનની ટીમ હજુ ત્રણેક દિવસ જેટલી વધુ આવક થઇ શકે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech