આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૨૩ થી તા.૨૬ ફેબ્રુઆરી સુધી "પોટ્રેઇટ એક્શિબિશન"નું આયોજન કરવામાં આવ્યુ છે. જે એક્સિબિશનનુ ઉદઘાટન સિનિયર આર્ટીસ્ટ અરુણભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ એક્ઝીબિશનમાં જામનગરના કલાકારો દ્વારા કુલ ૨૪ જેટલા બેનમૂન પેઇન્ટીંગસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્ઝીબિશનમાં શાળાનાં વિદ્યાથીઓ સહીત તમામ ઉંમરના કલાકારો સહભાગી થયા છે. જેમાં જામનગરના કલાકાર રાજુ રાઠોડ દ્વારા સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી માદરપટ્ટા કાપડ પર બાનાવવામાં આવેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટમાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
તદુપરાંત સિનિયર આર્ટીસ્ટ ઇન્દુભાઇ સોલંકી દ્વારા રવિ વર્મા, એલ.સી.સોની, વોરા ધર્મગુરુ, પ્રમુખસ્વામી મહારાજ, જગદીશ મહારાજ, કબિર આશ્રમ સહીતના પોટ્રેઇટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. ગીતા રાઠોડ દ્વારા હેપિનેશ પોટ્રેઇટ પ્રદર્શિત કરાયા છે જે મુખ્યત્વે પેપર પર કલર પેન્સિલથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બાતુલ સરોડીવાલા દ્વારા કલર પેન્સિલથી ભગતસિંહનું પોટ્રેઇટ અને ફાતિમા યુશુફ મોદી દ્વારા કેનવાસ પર ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું પોટ્રેઇટ બનાવાયુ છે, સ્વેતા કાનિયા અને દીપા કિશોર દ્વારા પેન્સિલ પોટ્રેઇટ સ્કેચના માધ્યમથી બનાવ્યુ છે. સ્નેહા મેહતા દ્વારા સોફ્ટ પેસ્ટલ કલર દ્વારા કપલ પોટ્રેઇટ પ્રદર્શનમાં મુક્યુ છે. અમિતભાઇ અમૃતિયા દ્વારા ડોટ વર્ક દ્વારા બુધ્ધ ભગવાનનું પોટ્રેઇટ પેન્સિલ દ્વારા બનાવેલ છે. આ એક્સિબિશનનું આયોજન તા.૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી કરવામાં આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરના ક્યુરેટર ડો.ધીરજ વાય. ચૌધરી દ્વારા જામનગરના આર્ટીસ્ટો અને તેમની કલાને પ્રોત્સાહન મળે તેમજ તેઓની કલા લોકો સુધી પહોંચાડી લોકો પણ કલા વિશે જાગૃત બને તે ઉદેશ્યથી દર મહીનાના છેલ્લા અઠવાડિયે આ પ્રકારના વિશેષ એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવે છે અને જામનગરની કલા રસિક જનતાને આ એક્સિબિશન નિહાળવા આમંત્રિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMમિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ
September 20, 2024 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech