વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં કાર્યક્રમો પૂરા થયા બાદ 24-25 જૂને ઈજિપ્તની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત છે. તેઓ 1997 પછી ઇજિપ્તની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમની આ સફર ઘણી ખાસ છે. પીએમ અહીં રહેતા ભારતીયોને મળશે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન 11મી સદીની અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. આ મસ્જિદ 1980 માં બોહરા મુસ્લિમ સમુદાય દ્વારા ફરીથી બનાવવામાં આવી હતી.
ઇજિપ્તનો હજારો વર્ષનો ઇતિહાસ છે અને તે ખાસ કરીને ઇસ્લામિક સ્મારકોની વિવિધતા માટે જાણીતું છે. ઈ.સ. 641માં મુસ્લિમ સમુદાયના લોકો અહીં આવ્યા ત્યારે અહીં ઈસ્લામિક સ્મારકોનું નિર્માણ શરૂ થયું હતું. અલ-હકીમ મસ્જિદનું બાંધકામ ફાતિમી ખિલાફત દરમિયાન 990 એડીમાં અલ-અઝીઝ દ્વિ-ઈલાહ નિઝાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, મસ્જિદનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.
બાદમાં તેમના પુત્ર અલ-હકીમે 1013 એડીમાં મસ્જિદનું બાંધકામ પૂર્ણ કર્યું. અલ-હકીમ ઇજિપ્તમાં ત્રીજા ફાતિમી ખલીફા હતા. બદ્ર અલ-દિન અલ-જમાલીના સમયગાળા દરમિયાન આ મસ્જિદની ડિઝાઇનમાં વધુ ફેરફારો થયા હતા અને 1078 એડીમાં મસ્જિદનો વિકાસ થયો હતો. ખિલાફત દરમિયાન બનેલી આ મસ્જિદ કૈરોના અલ-ગમાલિયા જિલ્લામાં આવેલી છે. પીએમ મોદી જે મસ્જિદની મુલાકાત લેશે તે ઇજિપ્તની ચોથી સૌથી મોટી અને મસ્જિદ ઇબ્ન-તુલુન પછી બીજી સૌથી મોટી છે. મસ્જિદનો આકાર ચાર તોરણો સાથે ત્રિકોણાકાર છે. મસ્જિદની સામે બે મિનારા છે.
અલગ-અલગ સમયમાં આ મસ્જિદને ફરીથી બનાવવાની જરૂર રહી છે. ભારે ધરતીકંપમાં આ મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી હતી. બાદમાં બૈબાર્સ અલ-ગશંકિરના શાસન દરમિયાન તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. બાદમાં 1302માં આ અલ-હકીમ મસ્જિદનું પણ સુલતાન હસનના શાસન દરમિયાન પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારથી મસ્જિદનો ઉપયોગ કિલ્લા અને ભંડાર તરીકે કરવામાં આવે છે. ફ્રેન્ચ અભિયાન દરમિયાન મસ્જિદનો ઉપયોગ જેલ તરીકે પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન, મસ્જિદના મિનારાઓનો ઉપયોગ વૉચ ટાવર તરીકે કરવામાં આવ્યો હતો.
સંપૂર્ણપણે નાશ પામેલી મસ્જિદ છેલ્લે 1980 માં નિરંકુશ શાસન હેઠળ ફરીથી બનાવવામાં આવી હતી. આ સમય દરમિયાન તમામ તોરણ બાંધવામાં આવ્યા હતા. ઇજિપ્ત પર રાશિદીન ખિલાફત, તુલુનિડ્સ, ફાતિમિડ્સ, આયુબિડ્સ, મામલુક્સ, ઓટ્ટોમન અને મુહમ્મદ અલી પરિવારના શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech