પીજીવીસીએલ જામનગર કચેરી દ્વારા બીલ ના ભરતા ૧૬૬પ ગ્રાહકોના વિજજોડાણ કટ

  • March 07, 2023 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના માનવતા વીજ લોને સારવાનું કે વીજ બીલની રકમ બાકી હોય તેવા ચાહકો સામે ચાલુ માસ માં જ નાણાની વસુલાત કરવા માટે ખૂબ જ કડકાઇ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, જેમાં દૈનિક ધોરને ૧૫૦ થી વધુ ટીમો બાકી રકમની વસુલાત માટે કામગીરી કરી રહેલ છે.



માટે જાન્યુ.૨૩ અતિત પરિસ્થિતિ મુજબ કુલ ૧૦૦૩૦૮ ગ્રાહકોના રૂ. ૪૩.૫૯ કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી હતા. જે અંતર્ગત ફેબ્રુ.૨૩ સુધીમાં કુલ બાકીદારો પૈકી ૧૬૬૮૧ ગ્રાહકો દ્વારા વિજ બીલના બાકી રૂ.૫.૫૭ કરોડ ભરપાઇ કરી આપેલ છે તેમજ ૧૬૬પ જેટલા ગ્રાહકોના બાકી રૂ.૨.૩૦ કરોડ ભરપાઇ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે તેમજ હવે પછી ના દિવસોમાં પણ બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યો કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વિજ જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 


વિશેષમાં માનવંતા ગ્રાહકોને બીલ ભરપાઇ કરવા માટે કોઇ અગવડતા ન પડે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભાગીય ક્ચેરી હેઠળના કેશ ક્લેક્શન સેન્ટર માટે માર્ચ-૧૩ દરમ્યાન ચાલુ રહેશે જે સુવિધાનો બહાળો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે તથા આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઇ કરવા અપીલ કરવામાં આવે છે જેથી અંધારપટ થવાથી થતી તક્લીફ નચા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુક્ત રહી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application