‘બાબા બાગેશ્વરનું અપમાન કરનારાઓને તો મારીને દરિયામાં ફેકી દેશે લોકો’ : કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે

  • May 19, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથા કરીને પટના ગયા છે, પરંતુ તેમના ગયા પછી તેમના પર રાજકારણ ચાલુ છે. જેડીયુ અને આરજેડીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાછા એમપી જવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું અપમાન કરનારા લોકો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકો બાબાનું અપમાન કરી રહ્યા છે તેઓ કુતરાઓ જેવા છે.


હકીકતમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે બિહારના બક્સર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે, બાગેશ્વર બાબા હાથી જેવા છે અને જેઓ તેમનું અપમાન કરે છે તેઓ ચાલતી વખતે હાથી પર ભસતા કૂતરા જેવા છે. જેઓ બાબા પર ભસતા હોય છે, તેઓ ભસતા રહે છે, તેની બાબા પર કોઈ અસર થવાની નથી. તેમણે વધુમાં કહ્યું કે બિહારમાં યુવા સંતનું અપમાન કરવામાં આવ્યું છે. તેના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે. તેના પોસ્ટર પર કાળો રંગ લગાવવામાં આવ્યો છે. આનો બદલો બિહારના ભક્તો લેશે. બિહારના લોકો આવા લોકોને મારીને દરિયામાં ફેંકી દેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application