જૂનાગઢમાં ભરઉનાળે વીજતંત્ર દ્વારા બિનજરૂરી વીજકાપ લાદતાં શહેરીજનોમાં આક્રોશ

  • May 18, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ઉનાળો અસલ રંગમાં હોય ત્યારે શહેરનું તાપમાન ૩૮ ડિગ્રીર સુધી પહોંચતા લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાણ વગર લાઈટ કાપ લાદી દેતાં શહેરીજનોને ગરમીથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના વોર્ડ નંબર ૧૦માં જાણ કર્યા વગર વીજકાપ લાદી દેતાં શહેરીજનો પીજીવીસીએલ પર ફીટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત પીજીવીસીએલ તંત્ર દ્વારા લાઈટ કાપ અંગે મેસેજ પણ કરવામાં આવેલ નથી. તેથી વિસ્તારવાસીઓ ભરઉનાળે ગરમીથી અકળાઈ રહ્યા છે.


પીજીવીસીએલ તંત્ર દ્વારા એક જ વિસ્તારને બાનમાં લેતાં હોય તેમ અવારનવાર આ વિસ્તારમાં વીજકાપ લાદી દે છે તેથી વિસ્તારવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની અણ આવડતેન પગલે વિસ્તારમાં ના છૂટકે લોકોને ભર ઉનાળે ગરમીથી ત્રાહિમામ થવું પડે છે.એક તરફ સરકાર દ્વારા ૨૪ કલાક વીજળી આપવા માટે ગુલબાંગો કરવામાં આવે છે. પરંતુ શહેરના આ વિસ્તારમાં અવારનવાર વીજકાપ લાદવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી લોકોમાંથી માગ ઉઠી છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા લાઈટ કાપ અંગે એક પણ પ્રકારના મેસેજ કરવામાં આવતા નથી જેથી લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application