ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જરૂરી નહીં રહે OTP, RBI બનાવી રહી છે નવી યોજના

  • February 13, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઈબર ક્રાઈમ અને છેતરપીંડી રોકવા નવા સિક્યોર્ડ ઓપ્શન વિકસાવવા પર કામ શરુ ; એઆઇના કારણે હવે બાયોમેટ્રિક્સ પણ નથી રહ્યું બેસ્ટ ઓથેન્ટિક ઓપ્શન 


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. તેને રોકવા માટે આરબીઆઈ સમયાંતરે કામ કરતી રહે છે. હવે આરબીઆઈ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે, જેથી પેમેન્ટ કરવા માટે ઓટીપીની જરૂર નહીં પડે. હાલમાં, કોઈપણ જગ્યાએ કોઈપણ ઓનલાઈન વ્યવહાર કરવા માટે, તમને ચકાસણી માટે એસએમએસ દ્વારા ઓટીપી પ્રાપ્ત થાય છે. આ ઓટીપી પદ્ધતિએ સુનિશ્ચિત કરે છે કે ઓનલાઈન પેમેન્ટમાં કોઈ ખલેલ કે છેતરપિંડી ન થાય.

ઓટીપીનો સૌથી સામાન્ય વિકલ્પ ઓથેન્ટિકેટર એપ છે. આ માટે યુઝર્સને તેમના મોબાઇલ ફોન પરની અન્ય એપ્લિકેશનમાંથી પાસવર્ડ રીકવર કરવાની જરૂર છે. સર્વિસ પ્રોવાવાઈડર્સએ મોબાઇલ એપ્લિકેશન્સમાં ટોકન્સ જેવા અન્ય વિકલ્પો પણ વિકસાવ્યા છે. પરંતુ આ બધી પ્રક્રિયાઓ માટે ફોનની જરૂર પડે છે. આ માટે આરબીઆઈએ બેંકોને એસએમએસ આધારિત વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી)ના વિકલ્પ પર વિચાર કરવા કહ્યું છે. પરંતુ વિકલ્પ ગમે તે હોય, મોબાઈલ ફોનની ઉપયોગિતા યથાવત રહેશે. બેંકર્સ કહે છે કે ઓટીપી છેતરપિંડી માટે સંવેદનશીલ હોય છે, જ્યાં કોઈ વ્યક્તિ ગ્રાહકોને પાસવર્ડ આપીને અથવા સિમ સ્વેપ દ્વારા તેને પકડી શકે છે.
​​​​​​​

રૂટ મોબાઈલના એમડી અને સીઈઓ રાજદીપકુમાર ગુપ્તા કહે છે કે તેમની કંપની વિવિધ સર્વિસ પ્રોવાઈડર્સ વતી દર મહિને લગભગ ૪૦૦ કરોડ ઓટીપી મોકલે છે. પરંતુ, ડિજિટલ સિસ્ટમના વિકાસ સાથે, છેતરપિંડીની શક્યતા પણ વધે છે. તેમણે જણાવ્યું હતું કે વધતી જતી છેતરપિંડીથી કંપની ટ્રુઅન્સ ડિવિઝન શરૂ કરવા માટે પ્રેરિત થઈ છે. ટ્રુસેન્સે ઓટીપી-લેસ પ્રમાણીકરણ રજૂ કર્યું છે, જ્યાં સર્વિસ પ્રોવાઈડર્સ પાસે યુઝર્સના ડીવાઈસ સાથે સીધું ડેટા કનેક્શન હશે. તે મોબાઈલ નંબરની ઓળખ કરશે અને યુઝર્સને ઓટીપી દાખલ કર્યા વિના ડીવાઈસ સાથે ટોકનનું વિનિમય કરશે.

ડિજિટલ આઈડેંટીટીના એક્ઝિક્યુટિવ ડેવિડ વિગર, કહે છે કે બાયોમેટ્રિક્સ એકમાત્ર બેસ્ટ ઓથેન્ટિક ઓપ્શન નથી, કારણ કે એઆઇ એડવાન્સિસે ચહેરાની ઓળખને બાયપાસ કરીને ડીપફેક્સનું નવું જોખમ ઊભું કર્યું છે. વિગરના મતે, મોબાઇલ ફોન ભારતીય બજાર માટે બેસ્ટ આઈડેંટીટી છે કારણ કે ગ્રાહકે કનેક્શન મેળવતા પહેલા તેની ઓળખની ચકાસણી કરવી પડે છે. ઈમેઈલ એટલો સારો વિકલ્પ નથી, કારણ કે નકલી ઈમેલ આઈડેંટીટી બનાવવી સરળ છે. કોઈપણ કેવાયસી વગર ઈમેલ જનરેટ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application