દુનિયામાં 28.2 કરોડ લોકો ભૂખમરાથી પીડિત: યુએનના રિપોર્ટમાં થયો ખુલાસો

  • April 26, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંયુક્ત રાષ્ટ્રએ ’ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ’માં માહિતી આપી હતી કે વર્ષ 2023 માં, 59 દેશોમાં લગભગ 28.2 કરોડ લોકોને ભૂખમરાનો ભોગ બનવું પડ્યું અને સૌથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત ગાઝામાં તીવ્ર દુકાળની સ્થિતિનો સામનો કરવો પડ્યો. હાલ પણ દુનિયામાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર, 2022માં 2.4 કરોડથી વધુ લોકોને ખાદ્ય પદાર્થોની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ગાઝા પટ્ટી અને સુદાનમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બગડી રહી છે. યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરોનું પ્રમાણ નક્કી કર્યું છે, જેમાં પાંચ દેશોમાં 7,05,000 લોકો પાંચમા તબક્કામાં છે, જે ઉચ્ચતમ સ્તર માનવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે 2016માં વૈશ્વિક અહેવાલની શરૂઆતથી અત્યાર સુધીમાં ભૂખમરાથી પીડિત લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. રિપોર્ટમાં ભાવિ પરિદ્રશ્યનો અંદાજ છે કે ગાઝામાં 11 લાખ લોકો અને દક્ષિણ સુદાનમાં 79 હજાર લોકો જુલાઈ સુધીમાં 5માં તબક્કામાં પહોંચી શકે છે. આ સાથે દુષ્કાળનો સામનો કરવા મજબૂર થવાનો તબક્કો પણ શરૂ થઈ શકે છે. ઉપરાંત, 2016 માં નોંધાયેલી સંખ્યાની તુલનામાં તે ચાર ગણો વધ્યો છે. અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગંભીર દુષ્કાળનો સામનો કરી રહેલા 80 ટકા લોકો એટલે કે 5,77,000 એકલા ગાઝામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application