બિપરજોય વાવાઝોડા અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

  • June 14, 2023 08:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

બિપરજોય વાવાઝોડા અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક મ્યુનિસિપલ કમિશનર એન. વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
હવામાન વિભાગ(IMD) દ્વારા ન્યુઝ બુલેટીનથી અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપારજોય(Blparjoy) સર્જાવાની બાબતે જણાવવામાં આવેલ છે. તેમજ વાવાઝોડા સંદર્ભે આગામી તા.૧૩/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમ્યાન ભાવનગર જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા જણાવેલ છે.

આ અંગે જો સ્થળાંતરની પરિસ્થિતી ઉદભવે તે માટે આશ્રય સ્થાનોમાં આવેલ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા માટે સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે પરામર્શ કરી ફુડ પેકેટ માટેની વ્યવસ્થા કરવા અંગે પૂર્વ તૈયારી કરવા  સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને ચર્ચાઓ કરવામાં આવી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશનર પી. જે. ભગદેવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application