બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા માટે વ્યાપક બેઠક યોજાઈ

  • September 11, 2023 12:14 PM 

બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા માટે વ્યાપક બેઠક યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા શૌર્ય જાગરણ યાત્રાના વિભાગ કાર્યાલય ખાતે વ્યાપક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, શૌર્ય જાગરણ યાત્રા જામનગર મહાનગરના સંયોજક તેમજ ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલ્લે, ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, સહમંત્રી અને ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયાએ આગામી શૌર્ય જાગરણ યાત્રાને લઈને જામનગરમાં બની રહેલા માહોલ અંગે માહિતી આપી હતી. આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રખંડ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માં યુવાનો જોડાઈ શૌર્ય યાત્રા માટે તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.

આ અંગે તમામ ચર્ચા વિચારણા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, રીનાબેન નાનાણી સાહિતના અગ્રણી કાર્યકરો પણ જોડાયા હતા. તેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application