મા કાર્ડના આવકના દાખલાની 31 માર્ચે પૂરી થતી મુદત: તમામ કાર્ડ હવે આયુષ્યમાનમાં તબદીલ થશે

  • January 10, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માં કાર્ડ ધારકોને આવકના દાખલા સહિતની વિગતો અપડેટ કરાવવા સૂચના



ગુજરાતમાં ગરીબ અને નબળા વર્ગના લોકોને મોંઘીદાટ સારવાર મફતમાં મળી રહે તે માટે ગુજરાત સરકારે માં અમૃતમ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. થોડા વર્ષો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્યને લગતી રાષ્ટ્રવ્યાપી બીજી યોજના બનાવીને તેને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધી સમાંતર રીતે બંને યોજનાઓ ચાલુ હતી પરંતુ હવે માં યોજનામાં લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આવકના દાખલાઓની મુદત તારીખ 31 માર્ચના પૂરી થતી હોવાથી હવે નવા તમામ કાર્ડ આયુષ્યમાન યોજનાના આપવામાં આવશે અને મા યોજના બંધ કરી દેવામાં આવશે. તારીખ 31 માર્ચના દાખલાની મુદત પૂરી થતી હોવાથી નવેસરથી અપડેટ કરાવવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.



રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી "માં વાત્સલ્ય કાર્ડ" યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને પ્રાપ્ય કરાવવામાં આવતી આરોગ્યલક્ષી સારવાર હવેથી પી.એમ.જે.એ.વાય અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી છે. મા વાત્સલ્ય કાર્ડ ઇશ્યુ કરેલા કુટુંબોના આવકના દાખલાની સમય મર્યાદા આગામી ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂર્ણ થવાની છે, ત્યારે આ તમામ કાર્ડને સત્વરે આયુષ્માન કાર્ડમાં તબદિલ કરાવવા "માં વાત્સલ્ય કાર્ડ" યોજના અંતર્ગતના કુટુંબોને તાત્કાલિક આવકના દાખલા અપડેટ કરાવવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે. જેના માટે સંબંધિત વ્યક્તિઓએ આવકના દાખલા સાથે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રાશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો લઈને લાભાર્થીઓએ નોંધણીના સેન્ટર પર આવવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application