અનાથ બાળકોને કરાવી મેળાની મોજ : રાજકોટમાં માલવિયા નગર પોલીસના જવાનો બાળકોના ચેહરા પર લાવ્યા સ્મિત

  • September 15, 2023 12:42 PM 


પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાબિત કરી છે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોએ...     


સાતમ આઠમનો તહેવારમાં લોકોએ ખુબ જ મજા કરી. માતા-પિતા બાળકોને લઈને મેળામાં ગયા, અલગઅલગ રાઇડસમાં બેસાડી ભરપૂર આનંદ માણ્યો. આ વચ્ચે  અનાથ બાળકોને આનંદ કરાવવા પોલીસે મેળાની મજા કરાવી. 


સ્પેશ્યલ હોમ ફોર બોયઝના અનાથ બાળકોને અલગ અલગ રાઈડઝમાં બેસાડી આનંદ લેવડાવ્યો હતો. ગઈકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જામનગર રોડ પર આવેલા સ્પેશ્યલ હોમ ફોર બોયઝના કુલ 28 બાળકોને નાના મવા સર્કલ પાસે આવેલા મેળામાં લઇ ગયા હતા અને વિવિધ રાઇડ્ઝમાં બેસાડ્યા હતા. અનાથ બાળકોના ચહેરા પર પણ સ્મિત છવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application