મધ્યપ્રદેશના સાગરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં મંદિરની દિવાલ ધરાશાયી થવાથી 9 બાળકોના મોત થયા છે. આ ઘટના સાગર જિલ્લાના શાહપુર શહેરમાં બની હતી જ્યાં આજે ભારે વરસાદને કારણે એક દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ પછી રાહત કાર્ય સતત ચાલુ છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
મળતી માહિતી મુજબ, સવારે ભારે વરસાદ બાદ શાહપુર શહેરમાં સ્થિત એક મંદિરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અકસ્માત બાદ અનેક બાળકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી 9ના મોત થયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના આજે સવારે 8.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. સાગરના જિલ્લા કલેક્ટર દીપક આર્યએ જણાવ્યું હતું કે કેટલાક બાળકો ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી, જ્યારે ઘટના સ્થળેથી તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. ગત રાત્રીથી અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માનવામાં આવે છે કે તેના કારણે દિવાલ પડી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 બાળકોની ઉંમર 10 થી 15 વર્ષની હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ત્યાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. અહીં આયોજિત કાર્યક્રમ માટે શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. શિવલિંગના નિર્માણમાં ઘણા લોકો જોડાયેલા હતા. આમાં ઘણા બાળકો પણ સામેલ હતા. આ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી અને 9 બાળકોના મોત થયા હતા. અહેવાલ મુજબ આ દુર્ઘટના હરદયાલ મંદિરની હોવાનું કહેવાય છે જેની દિવાલ 50 વર્ષ જૂની છે.
મધ્યપ્રદેશના મંત્રી ગોવિંદ રાજપૂતે કહ્યું, વહીવટીતંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે. અમે સ્થળ પર હાજર છીએ. આ મામલામાં મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોના પરિવારને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા જ રીવામાં એક દીવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવને બાળકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. શનિવારે આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech