લોકરક્ષકની ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મોટા ફેરફાર, એક્ઝામ ફોર્મેટથી લઇ પરીક્ષાનો સમય અને વિષયો પણ બદલાયા

  • February 07, 2024 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પરીક્ષા અંગે મોટું અપડેટ આવ્યું છે. હવે લોકરક્ષકની ભરતીની પરીક્ષાની  પધ્ધતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ અલગથી આપવામાં આવતા હતા પરંતુ હવે દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ ગુણ આપવામાં આવશે નહિ.



આ ઉપરાંત હવેથી 100 માર્કના MCQ ના બદલે હવેથી 200 માર્કના MCQનું પેપર લેવાશે. જેમાં પાસ થવા માટે 40 % ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પહેલા નિયમો મુજબ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ માર્કની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ માર્કનું ૩ કલાકનું MCQનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ૪૦% ગુણ ફરજિયાત લાવાના રહેશે.



નેશનલ ડીફેન્સ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે જે  ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે. એટલે કે NFSU અથવા RRU માં કરેલ કોર્સમાં એક વર્ષ માટે 3, 2 વર્ષ માટે 5, 3 વર્ષ માટે 8 અને 4 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે 10 ગુણ આપવામાં આવશે. જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નવા મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application