‘આજકાલ’ને આશિર્વાદ આપતા મહંત પૂ.ઇન્દ્રભારથી બાપુ

  • January 23, 2023 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢના ઇન્દ્રભારથી બાપુ આશ્રમના મહંત પૂ.ઇન્દ્રભારથી બાપુ શનિવારે જામનગર ખાતેના આશ્રમમાં પધાર્યા ત્યારે તેઓએ આજકાલનું રસપૂર્વક વાંચન કરીને આશિર્વાદ આપ્યા હતાં અને આજકાલની તમામ આવૃતિ વિશે પણ જાણકારી મેળવી હતી તેમને કહ્યું હતું કે,

આજના જમાનામાં વૃક્ષો ઓછા થઇ રહ્યા છે ત્યારે લોકોને પણ વધુને વધુ વૃક્ષો વાવવા અપીલ કરૂ છું અને આપ પણ સમાચાર મારફત લોકોને વૃક્ષનું વધુ વાવેતર કરવા માટે પ્રેરણા આપશો. કચ્છમાં માનકુવા ગામના એક ખેડુતને કોનોકાપર્સ વૃક્ષનો કડવો અનુભવ થયો હતો, આ વૃક્ષ વધુ કાર્બન ડાયોકસાઇડ છોડે છે

 ત્યારે આવા વૃક્ષ વાવવા પર તેમણે જણાવ્યું હતું, જામનગર આજકાલને તેઓએ ખુબ-ખુબ શુભેચ્છા પાઠવીને ભવિષ્યમાં પણ આજકાલ વધુને વધુ પ્રગતિના શીખર સર કરે તેવા આશિર્વાદ આપ્યા હતાં, તસવીરમાં પૂ.ઇન્દ્રભારથી બાપુ આજકાલનું રસપુર્વક વાંચન કરી રહ્યા છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application