અંધાશ્રમ આવાસમાં દારૂ-બિયર મળી આવ્યો : આરોપી ફરાર

  • February 10, 2023 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના અંધાશ્રમ આવાસમાં બિયરના ૧૦ ટીન અને દારૂની ૩ બોટલ પોલીસે કબ્જે લીધી હતી, વસઇમાં બે શખ્સ દારુની બાટલી સાથે ઝપટમાં આવ્યા હતા, જયારે બાવરીવાસમાં દેશી દારુ અંગે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.



જામનગરમાં અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૨૯ રૂમ નં. ૨માં રહેતા સંજયસિંહ ભરતસિંહ વાઢેર નામનો શખ્સ પોતાના મકાનમાં દા‚-બિયરનો જથ્થો રાખ્યો છે એવી હકીકત આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી બિયરના ૧૦ ટીન અને ઇંગ્લીશ દા‚ની ૩ બોટલ કબ્જે લીધી હતી જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.



બીજા દરોડામાં જામનગરના વસઇ ગામના જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા, હાલ વસઇ અને મુળ એમપીના કુકશી ગામના કનસીંગ ગમરસીંગ વસુમીયા આ બંનેને વસઇ ગામ કેનાલ રોડ પરથી ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડી લીધા હતા.



આ ઉપરાંત શહેરના બાવરીવાસમાં રહેતી પુનમબેન નવિન ચૌહાણના ઝુપડામાંથી ૫ લીટર દેશી દારૂ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા, જયારે કલાવતી શ્યામલાલ વઢીયારના ઝુપડામાંથી ૮ લીટર દારૂ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application