પીપર ગામમાં આર્થિક તંગીના કારણે શ્રમિકનો આપઘાત

  • February 06, 2023 07:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 મૂળ મધ્ય પ્રદેશના વતની ના અને હાલ કાલાવડ પંથકમાં રહેતા ખેત શ્રમિક એવા એક આદિવાસી યુવાને પૈસ ની તંગીના કારણે મૂંઝવણ  અનુભવતો હોવા થી જંતુ નાશક દવા પી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી  લીધી છે. જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી એક યુવા પરણીતા ને શરદી ની બીમારી પછી શ્વાસ ઉપડતાં તેણી  નું સારવાર માં મૃત્યુ થયું છે.


 મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં  વાડીમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મહેતાબભાઈ  માધુભાઈ કલેશ નામના ૩૫  વર્ષના આદિવાસી યુવાને જંતુનાશક ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.આ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતાં પોલીસ અધિકારી દોડી ગયા હતા, અને તપાશ શરૂ કરી હતી.


આ યુવાન પૈસાની તંગી અનુભવતો હતો અને તેની મૂંઝવણના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક કારણ જાહેર થયું છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી હાસ્મિતાબેન ચેતનભાઇ નકુમ નામની ૨૫ વર્ષની પરણીતા ને  ચાર દિવસ થી શરદી ની બીમારી લાગુ પડી હતી. દરમિયાન તેણીને શ્વાસ ઉપડતાં  સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણી નું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application