જાણીલો, શું અજિંક્ય રહાણેનું સપનું રહી જશે અધૂરું, ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવાનો છેલ્લો રસ્તો પણ થયો બંધ

  • January 19, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેનું સપનું સાકાર થતું જણાતું નથી. રહાણેએ તાજેતરમાં કહ્યું હતું કે તે ટીમમાં વાપસી કરવા માંગે છે અને તેનું સ્વપ્ન ભારત માટે 100 ટેસ્ટ મેચ રમવાનું છે. પરંતુ રહાણેનું આ સપનું પૂરું થવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. રણજી ટ્રોફીમાં રહાણે સતત બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. પ્રથમ તો આંધ્રપ્રદેશ અને ત્યાર બાદ કેરળ સામે એક પણ રન ન બનાવી માત્ર શૂન્ય રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય તે ટીમ ઈન્ડિયાની ભવિષ્યની યોજનામાં પણ ફિટ થતો દેખાતો નથી.


અજિંક્ય રહાણેને વર્ષ 2022માં ખરાબ પ્રદર્શનને કારણે ડ્રોપ કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો હતો કે તેઓ હવે યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. જોકે, શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ હતી. પરંતુ માત્ર ત્રણ ટેસ્ટ બાદ રહાણેને અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરવા બદલ ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. હવે રણજી ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી કરવાની છેલ્લી તક પણ બંધ થઈ ગઈ છે. રહાણેની ટીમમાં વાપસીની કોઈ શક્યતા જણાતી નથી.


આપને જણાવી દઇએ કે હાલમાં ટીમ ઈન્ડિયા પાસે મિડલ ઓર્ડરમાં ઘણા વિકલ્પો છે. શ્રેયસ અય્યરને છેલ્લા બે વર્ષથી પાંચમા નંબર પર અજમાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અય્યરે 12 ટેસ્ટમાં અડધી સદી અને એક સદી ફટકારી 707 રન બનાવ્યા છે. અય્યરને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં તક મળવાની ખાતરી મળી રહે છે. આ સાથે જ કેએલ રાહુલે પણ દક્ષિણ આફ્રિકા સામે મિડલ ઓર્ડરમાં રમતા સદી ફટકારી છે. કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે રમશે તે લગભગ નિશ્ચિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application