એક વર્ષથી વધુ સમય બાદ ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. બંને દિગ્ગજ ખેલાડીઓને 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે શરૂ થનારી ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ મોટા ખેલાડીઓ ટી20 ઇન્ટરનેશનલમાં પરત ફર્યા છે.
આ જાહેરાત પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વર્ષના ટી20 વર્લ્ડ કપનો ભાગ નહીં હોય, પરંતુ ભારતીય પસંદગીકારોએ તેમના નિર્ણયથી આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. ભારતીય ક્રિકેટ નિષ્ણાંતો પહેલેથી જ પસંદગીકારોના આ નિર્ણયનું વિશ્લેષણ કરી રહ્યા છે. એટલું જ નહી વિરાટ કોહલી અને રોહિત શર્માની પસંદગી અંગે દેશની બહાર પણ ચર્ચાએ જોર પકડયું છે.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથને જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી તેમજ ટી20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમ ઈન્ડિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, કામના ભારણને સંતુલિત કરવા અને અલગ-અલગ સમયે નવા ખેલાડીઓને રજૂ કરવા માટેની બાબત છે. જે પ્રકારે ક્રિકેટ ટીમ ઇન્ડિયા રમી રહી છે તે મુજબ ખેલાડીઓને તક આપવાની વાત છે. આપણે જોયું છે કે ટી20 ફોર્મેટમાં આઇપીએલએ ભારતમાં ઘણી પ્રતિભાઓ પેદા કરી છે. મને લાગે છે કે પસંદગી પેનલ અને કોચે એ જોવું પડશે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએની પીચો પર આટલા બધા સક્ષમ ખેલાડીઓમાંથી કયા ખેલાડીઓને લેવા ઈચ્છે છે.
એક વાતચીત દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર સ્મિથે કહ્યું કે, ભારત પાસે અત્યારે જેટલા સક્ષમ ખેલાડીઓ છે તે જોતાં આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. મને લાગે છે કે તે યુવાનો સાથે અનુભવના યોગ્ય મિશ્રણ સાથે જવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech