શેખપાટ ગામ નજીક ખૂંટીયાએ વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

  • April 12, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેખપાટ ગામના પાટીયા નજીક ગઈકાલે રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખૂંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને  આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલક નું  મૃત્યુ થયું હતું.
જામનગર શહેર -  જિલ્લામાં રસ્તે રઝળતા  ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. પરિણામે સમયાંતરે રખડતા ઢોરને કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે. અને તેમાં મૃત્યુ પામવાના બનાવો પણ વધી રહ્યા છે. દરમ્યાનમાં વધુ એક બનાવમાં વૃઘ્ધનો ભોગ લેવાયો હતો.
મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ માર્ગે  શેખપાટ  ગામના પાટિયા  પાસે થી દિનેશભાઈ ઠાકરીયા નામના વૃઘ્ધ મોટરસાયકલ લઈને પસાર થતા હતા, ત્યારે  અચાનક રસ્તામાં  ખૂંટીયો આડો ઉતરતાં તેમને અકસ્માત નડ્યો હતો. 
આ બનાવમા તેઓને ગંભીર ઈજા થવાથી  સારવાર માટે  જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા  હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો  દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application