સાવરકુંડલાના પિયાવા ગામે માવતરના ઘરે દોઢેક વર્ષથી રહેતી યોગિતાબેન નરેશભાઈ મૈત્રાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મૂળ જસદણના ગઢાળા અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ પર શક્તિનગર-02માં રહેતા પતિ જયદીપસિંહ ભાભલુભાઇ ખાચર, સાસુ કૈલાશબેન, સસરા ભાભલુભાઇ વિક્રમભાઇ ખાચર, નણંદ મિનાક્ષીબેન ભરતભાઇ બાયલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ-2023માં થયા છે. લગ્નના 10 થી 15 દિવસ સારી રીતે ચાલ્યું હતું. બાદ સમય જતા પતિ, સાસુ, સસરા અને બાજુમાં રહેતા નણંદ બધા કરિયાવર બાબતે મેણાટોણા મારી કહેતા કે, તારા બાપના ઘરેથી કરિયાવરમાં કાંઈ આપ્યું નથી, તને કઈ શીખવાડ્યું નથી કહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પતિ મારા પર શંકા કરી હું કાંઈ બોલવાની ના પાડું તો બીજા ફ્લેટમાં લઈ જઈ મારા સતાહૈ મારકૂટ કરતા હતા. જેનાથી કંટાળી મેં મારા સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. તો સાસુ-સસરા પતિને ઠપકો આપવાના બદલે મારો વાંક કાઢી ઝગડો વધારતા અનેક કહેતા કે મારા દીકરાનું બીજું ઘર છે એટલે બાકી અમે ગામડામાં આવીએ પણ નહીં, તું ગામડા છો અને તને કાંઈ ખબર પડતી નથી. મારા પિયરમાંથી ફોન આવે તો ફોનમાં સરખી વાત કરવા દેતા નહતા અને પતિ ફોન ચેક કરી મારી પાસેથી લઇ લીધો હતો. લગ્ન બાદ મને ખબર પડી હતી કે મારા નણંદ લગ્ન બાદ છ વર્ષ સુધી રિસામણે હતા અને પોતે પ્રોફેસર હોવાથી વધારે સમય અમારા ઘરે જ રહેતા હતા. અને તે કહેતા હું આવું ત્યારે મને માન આપવાનું, આમ ત્રાસ આપતા મેં મારા પિયરમાં વાત કરતા મારા પિતા પણ સમજાવવા માટે આવ્યા હતા.પરંતુ મારા પતિ, સાસુ-સસરાએ ઝગડો કરતા મારા પિતા મને તેડી ગયા હતા. અને આજસુધી મારી કોઈ ભાડ લીધી નહતી. આથી ફરિયાદ નોંધવું છું. વંડા પોલીસે રાજકોટ સ્થિત પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech