ખંભાળિયા ખાતે કેબિનેટ મંત્રીમુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...

  • February 10, 2024 03:56 PM 

ખંભાળિયા ખાતે કેબિનેટ મંત્રીમુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં આવાસ ઈ -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...

 ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારનાં ૩૦૦થી વધુ આવસોનું ઈ - લોકાર્પણ કરાયું 

રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં  આજ રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૩૧,૪૫૪ આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું ઘર હોય. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજનાના માધ્યમથી આ સ્વપ્ન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ વ્યક્તિ આત્મનિર્ભર બને તે માટે સરકાર કટિબદ્ધ છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે લોકોને યોજનાનાં લાભ આપવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ યોજનાનાં લાભાર્થીએ તેમને મળેલી યોજનાના લાભ વિશે અન્ય લોકોને યોજનાની જાણકારી આપી માહિતગાર કરવા જોઈએ જેથી કરી તેમને પણ યોજનાનો લાભ મળી શકે.

આ તકે અગ્રણીશ્રી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ યોજનાના માધ્યમથી લોકોને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. આવાસ યોજના દ્વારા લોકોને પોતાનું ઘર હોય તે સ્વપ્ન પૂર્ણ થયું છે. ત્યારે આપણે પણ અન્ય જરૂરિયાતમંદ લોકોને યોજનાની જાણકારી આપી યોજનાનો લાભ અપાવીએ.

આ તકે ઉપસ્થિત લોકોએ બનાસકાંઠાના ડીસા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આવાસ યોજનાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા ચાવી વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી સચિવ  એમ. એ. પંડ્યા, જિલ્લા કલેકટર  જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન  જિતેન્દ્રભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયા, સંગઠન અગ્રણી રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, સી.એલ.ચાવડા, અનિલભાઈ તન્ના, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application