દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠાથી ખેતરોમાં વ્યાપક નુકસાની થવા પામી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો વડત્રા, ખોખરી વિગેરે ગામોમાં ગઈકાલે સોમવારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેના પગલે નદીઓમાં પાણી ચાલી નીકળ્યા હતાં.
ભાણવડ પંથકમાં પણ સોમવારે વરસાદી માવઠું વરસ્યું હતું. પવન સાથે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદના કારણે ખેડૂતોને ખેતરોમાં વ્યાપક નુકસાની પણ થવા પામી છે. આજે સવારથી ગુલાબી ઠંડી સાથે ઉઘાડ વચ્ચે આકાશ સ્વચ્છ બની રહ્યું હતું.
સુકા મરચા, ઘઉં, કપાસ અને અન્ય તૈયાર થયેલો જથ્થો પલળી ગયો હતો, કેટલાક સ્થળોે જીરાના પાક ઉપર પણ પાણી પડયું હતું, કમોસમી વરસાદને કારણે ખેડુતો પાયમાલ થઇ ગયા છે, હજુ પણ તા.૨૪ થી ૨૬ દરમ્યાન માવઠુ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે. ગઇકાલે મુખ્યમંત્રીએ તમામ કલેકટરોની બોલાવેલી વીડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જે-જે ગામમાં વરસાદ થયો છે તેનો સર્વે કરવાની જરૂર છે અને અઠવાડીયા બાદ જો વરસાદ થાય તો તેને પણ સર્વેમાં સામેલ કરી દેવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રાઇવેટ પાસિંગ છતાં સ્કૂલવેનની વર્ધી કરતા ૧૩ ચાલકોને દોઢ લાખનો દંડ
September 20, 2024 03:11 PMચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech