આસમાન સે ગીરે ખજૂર મે અટકે જેવી કેજરીવાલની હાલત, EDએ છોડ્યા નથી ત્યાં પુરાવા સાથે CBIએ કરી ધરપકડની તૈયારી 

  • April 12, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કે. કવિતાની રિમાન્ડ માંગણી દરમિયાન સીબીઆઇના દાવાથી ચર્ચાઓ શરૂ 

 

હાલ દારૂ કૌભાંડ મામલે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના રડાર પર છે. બીઆરએસ નેતા કવિતાના રિમાન્ડને લઈને કોર્ટમાં પહોંચેલી સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ લીધું અને કહ્યું કે તેમની સામે પૂરતા પુરાવા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું છે કે તેની પાસે વોટ્સએપ ચેટ અને સહ-આરોપીના નિવેદનો પણ છે.


કથિત દારૂના કૌભાંડમાં પહેલા ઇડી દ્વારા ધરપકડ કરાયેલ કે. કવિતાની સીબીઆઇએ પણ ધરપકડકરી છે, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં તેણીને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ પણ લીધું, જેઓ તિહારમાં બંધ છે. તેમણે કહ્યું, 'દક્ષિણ ગ્રુપના એક લિકરના કારોબારીએ અરવિંદ કેજરીવાલને મળ્યા અને દિલ્હીમાં તેમના બિઝનેસ માટે મદદ માંગી, કેજરીવાલે તેમને મદદનું આશ્વાસન આપ્યું... અમારી પાસે પૂરતા પુરાવા, વોટ્સએપ ચેટ્સ અને સંબંધિત આરોપીઓના નિવેદનો પણ છે.


અગાઉ, ઇડીએ પણ કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનો દાવો કર્યો હતો અને તેમને દારૂ કૌભાંડમાં કાવતરાખોર ગણાવ્યા હતા. 21 માર્ચે ધરપકડ કરાયેલા કેજરીવાલ હાલમાં તિહારમાં ન્યાયિક કસ્ટડીમાં બંધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ પણ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. 2021-22ની વિવાદાસ્પદ આબકારી નીતિની તપાસ ઇડી અને સીબીઆઇ પાસે છે.


સીબીઆઈએ કેજરીવાલ ઉપરાંત દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. કે કવિતા પર અનેક આરોપો મૂકતા, સીબીઆઈએ કહ્યું, 'દિનેશ અરોરાએ  (આરોપી અને સરકારી સાક્ષી) તેમના નિવેદનમાં પુષ્ટિ કરી કે અભિષેક બોઈનપલ્લીએ માહિતી આપી હતી કે વિજય નાયરને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સીઆરપીસીની કલમ 161 અને 164 હેઠળ હવાલા ઓપરેટરોનું નિવેદન રૂ. 11.9 કરોડની ચુકવણીની પુષ્ટિ કરે છે. બુચીબાબુની ચેટ પરથી ખબર પડી કે ઈન્ડોસ્પિરિટમાં તેમનો હિસ્સો છે. બ્લેકલિસ્ટેડ હોવા છતાં આરોપી મનીષ સિસોદિયાના દબાણમાં ઈન્ડોસ્પિરિટને લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
​​​​​​​

સીબીઆઈએ બીઆરએસ નેતા કે કવિતાની પાંચ દિવસની કસ્ટડીની માંગણી કરી અને કહ્યું કે તે પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી રહી છે અને તપાસમાં સહકાર આપી રહી નથી. કવિતાના વકીલે સીબીઆઈ દ્વારા તેમના અસીલની ધરપકડને 'ગેરકાયદેસર' ગણાવી અને તપાસ એજન્સી પર મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application