મહિલાએ સરોગેસી અધિનિયમની કલમ ૨ (એસ)ને પડકાર કરતા કોર્ટમાં કરી અરજી ; સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટકોર
એક ૪૪ વર્ષીય અપરણિત મહિલાએ સુપ્રીમ કોર્ટમાં સરોગેસીની મદદથી માતા બનવાની પરવાનગી માંગી છે, આ કેસની સુનાવણી કરતા કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી જોઈએ, જ્યાં લગ્ન પહેલા બાળકનો જન્મ થવો સામાન્ય વાત એવા પશ્ચિમી દેશોની રાહ પર ભારતને ન જવા દેવાય. જસ્ટિસ બી વી નાગરત્ના અને ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે કહ્યું કે એક અવિવાહિત મહિલા બાળકને જન્મ આપી રહી છે. આ ભારતીય સમાજમાં વિવાહના નિયમમાં નથી પરંતુ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે દેશોમાં વિવાહ સંસ્થા ખતરામાં તો નથી?
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી વી નાગરત્નાએ કહ્યું, "આપના દેશમાં લગ્ન બાદ માતા બનવું એક આદર્શ છે. વિવાહ વગર માતા બનવું કોઈ આદર્શ નથી. અમે તેને લઈને ચિંતિત છીએ. અમે બાળકોના હિતને જોતા આ વાત કરી રહ્યા છીએ. શું દેશમાં લગ્ન જેવું કંઈ રહેવું જોઈએ કે નહીં? અમે પશ્ચિમી દેશોની જેમ નથી. લગ્નમાં વિશ્વાસ રહેવો જોઈએ. તમે અમને રૂઢિવાદી કહી શકો છો અને અમે તેને સ્વીકાર કરીએ છીએ."
આ અરજી કરનાર મહિલા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેમણે સરોગેસી અધિનિયમની કલમ ૨(એસ)ને પડકાર આપતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કલમ એક અપરણિત ભારતીય મહિલાના માટે છે જે વિધવા કે ડિવોર્સી હોય. જો તેની ઉંમર ૩૫થી ૪૫ વર્ષ વચ્ચે હોય તો તેણી માતા બનવા માટે સરોગેસીની મદદ લઇ શકે છે. મતલબ કે એકલી અપરણિત મહિલાઓને સરોગેસી દ્વારા માતા બનવાની મંજૂરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech