ત્રીજા દિવસે જિલ્લામાં ઝાપટાથી પોણો ઈંચ કમોસમી વરસાદ

  • May 08, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહયો છે.જિલ્લામાં ગુરૂવારે બપોરે બાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ઝાપટાથી પોણો ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે.ભાવનગર શહેરમાં પોણો ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં છે.આથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી લોકો પરેશાન થયા છે.
ભાવનગર શહેરમાં  આજે બપોરે બાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં ભાવનગરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. પોણો ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આજે ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.
આજે ઘોઘા,જેસર,ગારિયાધારમાં અર્ધો ઈંચ, વલભીપુરમાં પા ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, તળાજા અને પાલીતાણામાં ઝાપટા પડ્યા હતા. ઉમરાળા અને સિહોરમાં વરસાદે વિરામ લીધો હતો. આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યા રાત્રે ૮ વાગ્યા સુધીમાં મહુવામાં ૨,પાલીતાણામાં ૩,તળાજામાં ૧, ભાવનગરમાં ૧૯,ગારિયાધારમાં ૧૦,ઘોઘામાં ૧૦ અને વલભીપુરમાં ૮,જેસરમાં ૧૨ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.


માવઠાને કારણે કેસર કેરીઓના આંબાને નુકસાન 
ભાવનગર જિલ્લામાં  માવઠાનો માહોલ સર્જાતા કેરીના પાકને નુક્સાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.ખાસ કરીને કેરીની સિઝન માટે અત્યારે ફાલ આવેલો છે અને ત્યારે જ  માવઠાનું વાતાવરણ જામ્યુ છે.વરસાદ સાથે વાઝડી પણ હોવાથી કેરીઓ નીચે ખરી પડે છે.કેરી એટલે ગીરની કેસર કેરી જ એવું નથી, પણ હવે છેલ્લા દાયકાથી ભાવનગર જિલ્લામાં સોસિયા અને જેસર એમ બંને પંથક કેસર કેરી માટે સુપ્રસિદ્ધ બન્યા છે. ભાવનગર જિલ્લામાં અંદાજિત ૨૫૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં આંબાવાડીઓ છે અને અત્યારે આંબામાં કેરીઓ આવેલી છે ત્યારે માવઠાથી ચિંતા વધી છે. હજુ તો સીઝનની શરૂઆત થઈ છે ત્યાં માવઠાએ ખેડૂતોની અને કેરી ખાનાર વર્ગની ચિંતા વધારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application