૭૪૪ જિલ્લામાં એનસીડી ક્લિનિક્સ, ૨૧૯ જિલ્લા કાર્ડિયાક કેર યુનિટ્સ અને ૬૨૩૭ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ક્લિનિક્સની સ્થાપના કરાઈ
૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે દર છ મહિને પરીક્ષણો કરાવવાની જરૂર નથી, ગતરોજ લોકસભામાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી, એસ પી સિંહ બઘેલે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, પુરાવા સૂચવે છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે જોખમી પરિબળોનું મૂલ્યાંકન/સ્ક્રિનિંગ જેમ કે બ્લડ-ગ્લુકોઝ ટેસ્ટ અને બ્લડ પ્રેશર ૩૦ વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોમાં વર્ષમાં એકવાર કરી શકાય છે. લોકસભામાં હાલના અચાનક હૃદયરોગના હુમલાને કારણે લોકો બીમાર પડવા અને મૃત્યુ પામવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
બઘેલે જણાવ્યું હતું કે “કાર્ડિયોવેસ્ક્યુલર રોગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય કાર્યક્રમ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઑફ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ હેઠળ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ હેઠળ, ૭૪૪ જિલ્લા એનસીડી ક્લિનિક્સ, ૨૧૯ જિલ્લા કાર્ડિયાક કેર યુનિટ્સ અને ૬૨૩૭ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એનસીડી ક્લિનિક્સની સ્થાપના કરવામાં આવી છે."
તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય બિનસંચારી રોગો એટલે કે, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને સામાન્ય કેન્સર માટે પ્રિવેન્શન, નિયંત્રણ અને સ્ક્રીનીંગ માટે વસ્તી આધારિત પહેલ એનએચએમ હેઠળ અને પ્રાથમિક આરોગ્ય સંભાળના ભાગરૂપે દેશમાં શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં, આરોગ્ય મંત્રાલયે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન માટે તાલીમ આપવા માટે મોટા પાયે કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. આ પહેલ નેશનલ બોર્ડ ઓફ એક્સ દ્વારા કરવામાં આવી હતી.
એનબીઇએમએસના પ્રમુખ અભિજાત સેઠે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં યુવાનોને અચાનક હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામતા જોઈ શકાય છે. આવા સંજોગોમાં સમયસર સીપીઆર મદદરૂપ થઈ શકે છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech