ગત વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં તેના પગની ઘૂટીમાં ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેને ઉપાડીને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. તેના પગની ઘૂટીમાંના લિગામેન્ટસ ફાટી ગયા હતા. આ પછી નક્કી થયું કે તેણે સર્જરી કરાવવી પડશે.
આ બાદ સૂર્યકુમાર યાદવે સર્જરી કરાવી હતી. પોતાના સ્વાસ્થ્ય અને સર્જરી અંગે આ ખેલાડીએ જ માહિતી આપી છે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેના દ્રારા તેણે જણાવ્યું હતું કે, તેની સર્જરી થઈ ગઈ છે. તેના સ્વાસ્થ્ય માટે ચિંતા અને પ્રાર્થના માટે તે દરેકનો આભારી છે. આ ઉપરાંત તેણે ખુશાલી સાથે જણાવ્યું હતું કે તે ઝડપભેર પરત ફરશે.
આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવની પગની ઘૂટી વળી ગઈ હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. બાદમાં જ્યારે દક્ષિણ આફ્રિકા બેટિંગ કરવા આવ્યું ત્યારે ત્રીજી ઓવરમાં બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવી રહેલા શોટને અટકાવ્યા બાદ બોલ ફેંકતી વખતે તેને આ ઈજા થઈ હતી. તેને થયેલી ગંભીર ઇજાને ધ્યાને રાખતા તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. જો કે મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં સૂર્યકુમાર યાદવ હું ઠીક છું એમ કહેતો જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવ આફ્રિકા પ્રવાસમાંથી ભારત પરત ફર્યે ત્યારે તેના પગની ઘૂંટી સ્કેન કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ખેલાડી લાંબો સમય સુધી મેદાનમાં પરત ફરી શકશે નહીં. આ જ કારણ હતું કે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી અને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર રહ્યો હતો. પણ હવે સારા સમાચાર એ છે કે સૂર્યકુમાર યાદવની સર્જરી થઇ ગઇ છે અને હવે ઝડપભેર ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech