રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (17 ઓગસ્ટ) કોલકાતામાં યુદ્ધ જહાજ 'વિંધ્યાગીરી' લોન્ચ કરશે. વિંધ્યાગીરી એ ભારતના પ્રોજેક્ટ 17Aનું છઠ્ઠું જહાજ છે. જે નેવીની તાકાતને વધુ વધારવાનું કામ કરશે. આ ખાસ યુદ્ધ જહાજો ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. INS વિંધ્યાગીરી તેના ક્લાસનું ત્રીજું યુદ્ધ જહાજ છે, તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ કર્ણાટકની પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17 ક્લાસ ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ) માટે ફોલો-ઓન છે, જેમાં સુધારેલ સ્ટીલ્થ સુવિધાઓ, અદ્યતન શસ્ત્રો, સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ છે. લગભગ 31 વર્ષ સુધી, જૂની INS વિંધ્યાગીરીએ ભારતીય નૌકાદળની સેવા કરી અને આ સમય દરમિયાન ઘણા પડકારજનક મિશન અને વિદેશી કવાયતો જોઈ. જે બાદ હવે નવી ટેક્નોલોજી સાથેનું નવું વિંધ્યગીરી નેવીના કાફલામાં જોડાઈ રહ્યું છે.
આ જહાજ દરિયાના મોજા પર 28 નોટની ઝડપે એટલે કે લગભગ 52 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે પોતાની સાથે 6 હજાર 670 ટન દારૂગોળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ શકે છે. INS વિંધ્યાગીરી મિસાઈલ લોન્ચ કરવામાં સક્ષમ છે. ભારતની ઘાતક મિસાઈલ બ્રહ્મોસ પણ યુદ્ધ જહાજથી લોન્ચ થઈ શકે છે. INS વિંધ્યાગિરી અત્યાધુનિક રડાર સિસ્ટમ અને સબમરીન વિરોધી શસ્ત્ર પ્રણાલીથી સજ્જ છે.150 મીટર લાંબુ અને 37 મીટર ઉંચુ આ યુદ્ધ જહાજ દુશ્મનોના હોશ ઉડાડવા માટે દરિયામાં સૌથી શક્તિશાળી છે. પ્રોજેક્ટ 17A હેઠળ યુદ્ધ જહાજો બનાવવામાં આવી રહ્યા છે.
હજારો કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આ યુદ્ધ જહાજ દેશની સરહદને વધુ સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું છે, આ યુદ્ધ જહાજ નેવીની તાકાતમાં અનેકગણો વધારો કરશે. ચીન અને પાકિસ્તાનની નાપાક યોજનાઓને કારણે આ જહાજ દરિયામાં નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે યુદ્ધમાં દુશ્મનની દરેક યુક્તિને પરાસ્ત કરવામાં માહેર છે. સચોટ શૂટિંગ અને હાઇ સ્પીડના સંદર્ભમાં, તે દુશ્મનોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech