આજે કોલકાતા એરપોર્ટના રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનને ઈન્ડિગોનું વિમાને ટક્કર મારી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ચેન્નાઈ એરપોર્ટ માટે ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલે કાર્યવાહી કરી છે. ડીજીસીએએ આ મામલે ઈન્ડિગો એરલાઈન્સના પાઈલટોને પદ પરથી હટાવી દીધા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ કોલકાતા એરપોર્ટ પર ક્લિયરન્સની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક ઈન્ડિગો વિમાને તેને ટક્કર મારી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. ઈન્ડિગો એરક્રાફ્ટના પાઈલટોને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉડ્ડયન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે દુર્ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઈન્ડિગો એરક્રાફ્ટના પાયલટોને રોસ્ટરમાંથી હટાવી દીધા છે.
પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પર આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ ટેક્સી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એરક્રાફ્ટનો એક ભાગ એર ઈન્ડિયાના અન્ય એરક્રાફ્ટ સાથે અથડાઈ ગયો. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારું એક વિમાન કોલકાતા એરપોર્ટના રનવે પર ચેન્નાઈ, તમિલનાડુ જવા માટે ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું હતું. આ દરમિયાન અન્ય એરલાઇન કંપનીના પ્લેનની પાંખનો કિનારો ભાગ તેની સાથે અથડાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech