કામનું પ્રેશર, ઘરમાં ટેન્શન, મિત્ર સાથે ઝઘડો, આવા અનેક કારણો છે જે આપણો મૂડ બગાડી શકે છે. શિયાળાની ઋતુમાં આપણે સરળતાથી સીઝન ઈફેક્ટિવ ડિસઓર્ડરનો શિકાર બની શકીએ છીએ, જેના કારણે આપણો મૂડ બગડી શકે છે. ખરાબ મૂડને કારણે આપણી પ્રોડકટીવીટી અને મેન્ટલ હેલ્થ પર ઘણી અસર થઈ શકે છે. તેથી, આપણા સારા મૂડને બુસ્ટ કરવો ખૂબજ જરૂરી છે આ માટે કસરત, ચાલવું, તમારા કોઈપણ શોખ માટે સમય કાઢીને ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો છો.પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ખાદ્ય વસ્તુઓ પણ તમને આમાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કયા ખોરાક તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ ખાવાથી તમારો મૂડ ઘણો સારો થઈ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ મળી આવે છે, જે તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે. તેથી જો તમને લાગે કે તમે ક્યારેય ખરાબ મૂડમાં છો, તો તમે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો.
કેળા
કેળામાં વિટામિન બી મળી આવે છે જે હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે એનર્જી પણ આપે છે, જેના કારણે આપણો મૂડ સારો રહે છે. તેથી જો તમે ક્યારેય તમારી જાતને ખૂબ થાકેલા અને ખરાબ મૂડમાં જુઓ છો, તો કેળા ખાવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
અખરોટ
અખરોટ ખાવાથી તમારા મગજને ઘણો ફાયદો થાય છે. આનું કારણ તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ્સ છે. તે મગજના કાર્યને સુધારવામાં અસરકારક છે, જે મૂડને સુધારે છે. તેથી, જો તમને લાગે છે કે તમારો મૂડ ખૂબ જ ખરાબ છે, તો અખરોટ ખાવાથી મદદ મળી શકે છે.
કોફી
ઘણા લોકો તેમના દિવસની શરૂઆત કોફીથી કરે છે જેથી તેઓ તાજગી અનુભવી શકે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા મૂડને સુધારવામાં પણ તે મદદ કરી શકે છે. કોફી ડોપામાઇનને મુક્ત કરવામાં મદદ કરે છે, જે હેપ્પી હોર્મોન છે. તેથી જો તમારો કોઈ મિત્ર ખરાબ મૂડમાં હોય, તો તમે તેમને કોફી ઓફર કરી તેને મુડમાં લાવી શકો શકો છો.
કઠોળ
કઠોળમાં વિટામિન બી જોવા મળે છે, જે મૂડને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલા ઝિંક જેવા મિનરલ્સ થાકને દૂર કરે છે અને એનર્જી આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech