જામનગરમાં જુની અદાવતમાં યુવાન પર છરીબાજી

  • March 14, 2023 07:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દિ.પ્લોટ-૪૯ રોડ પર અગાઉન બોલાચાલીનો ખાર રાખીને યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કર્યાની ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના શંકરટેકરી પાણીના ટાંકા નજીક રહેતા વિપુલ રમણીકભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦)ની સાથે આરોપી રાજ એ બોલાચાલી કરી હતી જે બાબતનો ખાર રાખીને ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના સુમારે દિ.પ્લોટ-૪૯ રોડ, આંગણવાડી નજીક આરોપીએ ઉશ્કેરાઇને છરીના ઘા હાથ, છાતીના ભાગે ઝીંકી દીધા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી, દરમ્યાન આરોપી રાજ સાથે બે અજાણ્યા ઇસમોએ ઘસી આવી પાઇપ વડે હુમલો કરી મુંઢ ઇજા પહોંચાડી હતી.


આ બનાવ અંગે વિપુલભાઇ દ્વારા સીટી-સીમાં દિ.પ્લોટ-૪૯ રોડ, નહેરુનગરમાં રહેતા રાજ ઉર્ફે મુન્નો પ્રભુ ઉર્ફે હકાભાઇ પરમાર અને બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application