હર્ષ સંઘવીના રાહુલ ગાંધી પરના બુદ્ધિ અને દાઢીના ટવીટ પર ગરમાયુ રાજકારણ: કોંગ્રેસી નેતાઓએ પણ ટવીટર પર કાઢી ભડાસ

  • February 09, 2023 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હજુ થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના મોભી રાહુલ ગાંધીની દેશવ્યાપી ‘ભારત જોડો યાત્રા’ પૂરી થઇ છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કોઈને કોઈ કારણસર વિવાદો અને સમાચારોમાં હતા, જો કે ફરીવાર ‘ભારત જોડો યાત્રા’ને લઈને રાજકારણ ગરમાયું છે.

ભારત જોડો યાત્રા દરમિયન તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા, એ મુદ્દાને ટાંકીને રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. વળતા પ્રહારના ભાગ રૂપે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ટ્વિટ કરીને લખ્યું છે કે, રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે, પ્રધાનમંત્રી જવાબ ન આપી શક્યા, તમે તો આપો હર્ષ સંઘવી.


તો વધુમાં કોંગ્રેસ નેતા ડો. અમિત નાયકે હર્ષ સંઘવીને જવાબ આપતા ટ્વિટ કર્યુ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિકની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડ્યું કહેવાય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application