ગતરોજ IPL 2024માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. MI વાનખેડે ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 20 રને મેચ હારી ગઈ હતી. MI vs CSK મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે હાર્દિકના ફિટનેસ લેવલ પર સવાલ ઉઠાવ્યા હતા. ગિલક્રિસ્ટે આશંકા વ્યક્ત કરી હતી કે ઓલરાઉન્ડર હાર્દિક પૂરી રીતે ફિટ નથી અને બોલિંગ દરમિયાન આ દેખાય છે. જોકે, તેણે કેપ્ટનની ભાવનાની પ્રશંસા કરી હતી.
ગિલક્રિસ્ટે ક્રિકબઝને કહ્યું કે હાર્દિક પંડ્યા અને તેની બોલિંગ વિશે સકારાત્મક બાબત એ છે કે તે પડકારનો સામનો કરવા તૈયાર છે. તે કેપ્ટન તરીકે મુશ્કેલીમા આવે છે છતાં ખુશ દેખાય છે. ઓસ્ટ્રેલિયાની, રમતગમતની દ્રષ્ટિએ કહી તો તે સહજ નથી, બોલ હાથમાં હોય છે ત્યાંરે તે 100 ટકા ફિટ નથી દેખાતો. તેની શારીરિક સ્થિતિ અંગેની શંકા તેની બોલિંગ અવ્યવસ્થિતતામાંદેખાતી હતી.
કેપ્ટન હાર્દિકે CSK વિરુદ્ધ બે વિકેટ ઝડપી હતી પરંતુ તે મોંઘી સાબિત થઈ હતી. તેણે ત્રણ ઓવરમાં 43 રન આપ્યા હતા. તેને સૌથી મોટો ફટકો 20મી ઓવરમાં પડ્યો હતો, જેમાં 26 રન થયા હતા. એમએસ ધોનીએ છેલ્લી ઓવરમાં હાર્દિક સામે સિક્સરની હેટ્રિક ફટકારી હતી. ધોનીએ 4 બોલમાં અણનમ 20 રન બનાવ્યા અને ચેન્નાઈને 206/4ના સ્કોર સુધી લઈ ગયા. ધોનીના 20 રન MIની હારનું કારણ બન્યા. હાર્દિક (2 રન) બેટથી પણ કોઈ છાપ છોડી શક્યો ન હતો.
RCB સામેની છેલ્લી મેચમાં હાર્દિકે માત્ર એક જ ઓવર નાખી હતી. તેણે દિલ્હી અને રાજસ્થાન સામે બોલિંગ કરી ન હતી, જે બાદ તેની ફિટનેસની ચર્ચા થઈ રહી છે. મુંબઈએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે અને માત્ર બે જ જીતી છે. રોહિત શર્મા (63 બોલમાં અણનમ 105) એ ચેન્નાઈ સામે શાનદાર સદી ફટકારી હતી પરંતુ તેને બીજા છેડેથી સારો સાથ મળ્યો નહોતો. MI પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
July 02, 2024 07:44 PMધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech