ગુજરાતે આગવી સંસ્કૃતિને કારણે સર્વાંગી પ્રગતિની એક છાપ ઉભી કરી છે : PM મોદી 

  • May 01, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ છે.ગુજરાતને મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્યનો દરજ્જો અપાવા “મહાગુજરાત આંદોલન” કરવામાં આવ્યું હતું.લડતને અંતે ગુજરાતને 1 મે,1960ના રોજ અલગ કરી સ્થાપના દિવસ તરીકે ઉજવામાં આવ્યું હતું.


આજરોજ ગુજરાતનો 63મો સ્થાપના દિવસ હોવાથી તેની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવી જવાના કારણે હાજર નહિ રહી શકે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી છે.


PM મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી કે “ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application