જામનગરમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય, તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા અકસ્માતના સમયમાં બચાવ કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી સાહેબ અને જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈ સાહેબના માર્ગદર્શન મુજબ શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ ,કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને હોસ્પિટલ, આવાસ યોજના જેમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય , તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર સેફટી ના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પાડવા માટે નિયમિત વિવિધ સ્થળો પર ફાયર શાખાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે . જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા આ અઠવાડિયા દરમિયાન શહેરની જુદી જુદી ખાનગી શાળાઓ રહેણાક મકાનો અને હોસ્પિટલોમાં ફાયર સેફટી ના સાધનો અંગેની તાલીમ આપવામાં આવી હતી,
આ તાલીમ દરમિયાન શાળાના બાળકો શાળાનો ટીચિંગ / નોન ટીચિંગ સ્ટાફ રહેણાક વિસ્તારોમાં મહિલાઓ અને હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ સહિતનાઓને જામનગરની ફાયર શાખાએ અકસ્માતના સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફટી ના સાધનો મારફત કેવી રીતે સ્વ બચાવ કરવો તેની તલસ્પર્શી વિગતો ની લોકોને જાણકારી આપી હતી. આગામી સમયમાં પણ જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈ ના આદેશ અનુસાર તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન ના માર્ગદર્શન મુજબ આ પ્રકારની ફાયર શાખાની તાલીમ ની કામગીરી યથાવત રાખવામાં આવશે.
જામનગરના સમગ્ર વોર્ડ અને વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન ની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન ભેંસદડીયા , ઉપેન્દ્ર સુમ્બડ ,સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી ,જેંતીલાલ ડામોર, રાકેશ ગોકાણી ,કામિલ મહેતા સહિતના ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech