વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહને સરકાર દબાવે છે : જે.પી.જાડેજા

  • April 24, 2023 02:02 PM 


ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ચેટના સ્ક્રીન શોટના પૂરાવાને આધારે કાર્યવાહી થઈ છે. ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. પાપ્ત વિગતો મુજબ 386 અને 388 તેમજ 120 બી - મદદગારી હેઠળ યુવરાજસિંહ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે કલમોમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.

યુવરાજસિંહના સમર્થનમાં રાજપૂત કરણી સેના આવ્યું છે. આગામી તા.26ના રોજ ગુજરાતભરમાં સર્વ જ્ઞાતિ, સમુદાયના લોકોને તાલુકા, જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application