ફૂડ શાખાએ બે મેડિકલ એજન્સીમાંથી ન્યુટ્રીશીયન પાવડર અને મલ્ટી વિટામિન શીરપના નમુના લીધા

  • April 19, 2023 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની બે મેડિકલ એજન્સીઓમાંથી આજે જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ન્યુટ્રીશિયન પાવડર અને મલ્ટી વિટામિન શીરપના નમુના લેવામાં આવ્યા હતાં.
​​​​​​​
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી દશરથ પરમાર, એન.પી. જાસોલીયા અને તેની ટીમ દ્વારા આજે શ્રીજી મેડિકલ સ્ટોર્સમાંથી મલ્ટી વિટામીન અને મલ્ટી મીનરલ શિરપ (ઝીંકોવીન્ટ)નો નમુનો લેવામાં આવ્યો હતો, આ ઉપરાંત યુનિવર્સલ એજન્સીમાંથી ન્યુટ્રીશીયન પાવડર-પીડીયા શ્યોરનો નમુનો લેવામાં આવ્યો હતો અને બંને સેમ્પલને  પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આમ ફુડ શાખાની ટીમ દ્વારા આજે બે મેડિકલ એજન્સીમાં નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application