જામનગરના નવા કુંભારવાડામાં મકાનમાં આગ ભભુકી

  • April 01, 2023 03:15 PM 

જામનગરના નાગનાથ ગેઇટ પાસે આવેલા નવા કુંભારવાડામાં એક મકાનમાં આજે બપોરે શોટ સરકીટના કારણે આગ લાગતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને ઠારી હતી, આગના કારણે અંદર રહેલો સામાન સળગી ગયો હતો.




જામનગર શહેરના નાગનાથ ગેઇટ નજીક આવેલ નવા કુંભારવાડામાં એક મકાનમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી આથી ટીમ તાકીદે સ્થળ પર દોડ જઇ  પાણીનો મારો ચલાવી આગને ઠારવાની કામગીરી કરી હતી, આગના કારણે મકાનમાં રહેલ એર કુલર તેમજ અન્ય સામાન બળી ગયો હતો.
ગીચ વિસ્તારમાં આગના કારણે ફાયરની ગાડીને મુશ્કેલી થઇ હતી એ પછી નાની ગાડી તુરંત સ્થળ પર પહોચી હતી અને જહેમત ઉઠાવી આગ ઠારવાની કામગીરી કરી હતી. શોટ સરકીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application