રેલ્વે અકસ્માતો અટકી રહ્યા નથી, આજે વિશાખાપટ્ટનમના સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના ત્રણ ડબ્બા આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત કોરબા એક્સપ્રેસ (18517)માં થયો હતો. ઘટના દરમિયાન ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી હતી. આ અકસ્માતમાં ત્રણ એસી કોચ બળી ગયા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ B7 બોગીના ટોયલેટમાં શોર્ટ સર્કિટના કારણે આગની આ ઘટના બની હતી. જેના કારણે B7 બોગી સંપૂર્ણપણે નાશ પામી હતી. આ પછી આગ B6 અને M1 AC બોગીઓમાં ફેલાઈ ગઈ અને તેને પણ લપેટમાં લઈ લીધી. આગ લાગતાની સાથે જ રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. રાહતની વાત એ છે કે તે સમયે ટ્રેનમાં એક પણ મુસાફર નહોતો. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
રેલવે બોગીમાં આગ લાગવાની ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. દેખાઈ રહ્યું છે કે એસી કોચમાંથી જ્વાળાઓ નીકળી રહી છે. આ સાથે ચારેબાજુ ધુમાડો ફેલાયો છે. રેલવે કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર હાજર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech