'પાંચ હાટડી વિસ્તાર' ના વેપારીયોમાં ખુશીની લાગણી ફેલાઇ....

  • March 20, 2023 04:15 PM 

પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી ની દમદાર રજુવાત ને મળી સફળતા.... 

ત્રણ-ચાર દિવસ બાદ પવિત્ર રમઝાન માસ શરૂ થવાનું હોય, જામનગર શહેરના પાંચ-હાટડી વિસ્તારમાં મોડી રાત સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા બાબતે, આજરોજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ ના પો.સબ ઇન્સ્પેક્ટર બી.એસ.વાળાને પૂર્વ વિપક્ષી નેતા તેમજ નગરસેવક અસલમ ખીલજી ની આગેવાની હેઠળ પાંચ હાટડી વિસ્તારના વેપારીઓ તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.


આ તકે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ્પેક્ટર વાળા દ્વારા ખૂબ જ શારૂ અને યોગ્ય જવાબ આપી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ તરફ થી સાથ-સહકાર મેળશે તેવી ખાતરી આપવામાં આવી.



આ તકે પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૨ ના નગરસેવક અસલમ ખીલજી, સૈયદ જમાત ના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, જામનગર કસાઇ સમાજ ના પ્રમુખ ભૂરાભાઇ કસાઇ, અમીનભાઇ પટેલ, સાજીદભાઇ કસાઇ, ઈમ્તિયાઝભાઇ કસાઇ, બાબરભાઇ, ગેથીંગભાઇ કસાઇ, ડો.બસીર નોયડા સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application