જામનગરમાં પરંપરાગત દહન માટે હોલીકાનું પુતળું બનાવવા જહેમત

  • February 28, 2023 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ-૨૦૨૩નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે, જેના કન્વિનર તરીકે પરમ અતુલભાઈ દાઉદીયા તેમજ સહ કન્વિનર તેમના પિતા અતુલભાઈ પરસોત્તમભાઈ દાઉદીયા અને સમગ્ર ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે.


સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજથી ૬૭ વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.


એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.


ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ-અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું  પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત ૩/૪ ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ ૨૫ ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે-ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.


હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ ભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. 
​​​​​​​
સાંજના સમયે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે. તા.૬-૩-૨૦૨૩ને  સોમવારના રોજ સાંજના સમયે હોલિકાનું દહન થાય છે,  હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પોહચે છે અને અસત્ય ઉપર સત્યની જીતને લોકો સાક્ષી બને છે, આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application