ધોરાજી : બુટલેગરોનો જૂની અદાવતમાં ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી કર્યો હિચકારો હુમલો

  • April 30, 2023 09:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો વચ્ચે અંદરો અંદર ચાલી રહેલી અદાવતને લઈને ગત રોજ સમાધાન માટે બે જૂથ ભેગા થયા હતા. ત્યારે અચાનક જ સમાધાનની જગ્યાએ બંને જૂથોએ એકબીજા પર હીચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. 


અચાનક જ સમાધાન કરવાની જગ્યાએ જૂથનાં લોકોએ એકબીજા પર છરી, કુહાડી અને ધારિયા સહિતનાં હથિયાર વડે હીચકારો હુમલો કરતા સમગ્રે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.  



મારામારીની ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં મેળવી હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application