જાખરની નદીમાં ડુબી જતા તંબોલેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારીનું મૃત્યુ

  • August 08, 2023 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના તંબોલેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારીનું જાખર નદીમાં ન્હાવા જતી વેળાએ ડુબી જવાથી મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


ધ્રોલમાં રહેતા સંજયભારથી રમેશભારથી ગોસાઇ (ઉ.વ.૩૬) નામનો યુવાન ધ્રોલના સુપ્રસિઘ્ધ તંબોલેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારી છે, હાલમાં પુરૂષોત્તમ માસ ચાલતો હોય આથી જાખર મુકામે તેમના સસરાના ઘરે જમવા માટે આમંત્રણ મળતા તેઓ ગયા હતા, દરમ્યાન તા. ૬ના રોજ બપોરના સુમારે મિત્રો સાથે જાખર ગામમાં આવેલી ફુલઝર નદીમાં ન્હાવા માટે ગયા હતા, જયાં ન્હાતી વેળાએ અકસ્માતે પાણીમાં ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે રવિભારથી ગોસાઇ દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી, પુજારી યુવાનના અકાળે મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application