ખંભાળિયા નજીક બુલેટ સ્લીપ થતા બેરાજાના આધેડનું મૃત્યુ

  • July 18, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં રહેતા કાનાભાઈ મેરામણભાઈ ચાવડા નામના ૫૨ વર્ષના આહીર આધેડ રાત્રિના સમયે આસોટા અને બેહ ગામની વચ્ચે પોતાના જી.જે. ૧૦ ડી.બી. ૫૩૫૫ નંબરના બુલેટ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે બુલેટ સ્લીપ થઈ જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
​​​​​​​
આ બનાવ અંગે મૃતકના ભાઈ ગોવિંદભાઈ મેરામણભાઈ ચાવડાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪ (અ) તેમજ એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application