કહ્યું 'આ ન્યાય નથી, પાકિસ્તાન સરકારે પુરાવાનો નાશ કરવા માટે આ કાવતરું ઘડ્યું’, ગતરોજ અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હતી હત્યા
પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની ગતરોજ (14 એપ્રિલ) લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. પિતાના હત્યારાની હત્યા પર પુત્રી સ્વપનદીપ કૌરનું કહેવું છે કે આ ન્યાય નથી. પાકિસ્તાન પર આરોપ લગાવતા તેણે કહ્યું કે આ હત્યા પુરાવાનો નાશ કરવા માટે કરવામાં આવી છે.
તેણીએ કહ્યું કે, “પહેલાં તો મને સંતોષ થયો, પણ પછી મને લાગ્યું કે આ ન્યાય નથી. અમે જાણવા માગીએ છીએ કે મારા પિતાની હત્યા શા માટે કરવામાં આવી, તેમની હત્યા પાછળ કોણ હતા. સ્વપ્નદીપે વધુમાં આરોપ લગાવ્યો કે સરબજીત અને તાંબા બંનેની હત્યા પાછળ પાકિસ્તાન સરકારનો હાથ છે. તેણે કહ્યું, "જો મારા પિતાની હત્યામાં ત્રણ કે ચાર લોકો સામેલ હતા, તો પાકિસ્તાન સરકાર જ તે સમયે ઘડાયેલા કાવતરાને છુપાવવા માટે તે વ્યક્તિ (તાંબા)ની હત્યા કરીને તેને ઢાંકી રહી છે."
સરબજીતને આતંકવાદ અને જાસૂસીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 26 એપ્રિલ, 2013ના રોજ લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓએ તેના પર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને 1 મેના રોજ બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું. વર્ષ 2018માં કોર્ટે આરોપી અમીર સરફરાઝ તાંબા અને મુદસ્સરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પછી, રવિવારે લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તાંબાની હત્યા કરવામાં આવી હતી. આ અંગે બ્રિટનના ધ ગાર્ડિયનના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાનની ધરતી પર આવી અનેક હત્યાઓ સાથે ભારતને જોડવામાં આવ્યું હતું. જ્યારે ભારતે આ અહેવાલને ફગાવી દીધો છે.
સરબજીતની બહેન દલજીત કૌરે તેની મુક્તિ માટે મોટા પાયે અભિયાન ચલાવ્યું હતું. દલજીત કૌરનું જૂન 2022માં અવસાન થયું હતું. જ્યારે સ્વપનદીપ અને પૂનમ સરબજીતની દીકરીઓ છે. આ અંગે એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જેમાં રણદીપ હુડ્ડાએ સરબજીતનો રોલ કર્યો હતો અને ઐશ્વર્યા રાયે દલજીત કૌરનો રોલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech