નવી દિલ્હીના રાજઘાટ પર ચાલી રહેલા કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ પર ભાજપે પ્રહારો કર્યા છે. આજે કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા પર દેશભરમાં વિરોધ રૂપી 'સંકલ્પ સત્યાગ્રહ' કરી રહી છે. રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવ્યા બાદ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જેને પગલે દેશ ભરના કોંગ્રેસી નેતાઓની તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે,
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સત્યાગ્રહના નામે મહાત્મા ગાંધીની સમાધિ પર જે લોકો સમગ્ર લોકશાહીનું અપમાન કરી રહ્યા છે, તેમાં સત્યનો કોઈ આગ્રહ નથી, ઉલટાનું ઘમંડ બેશરમીથી જોવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે જે પણ થયું તે ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. સંસદનો જૂનો નિયમ હતો જેના હેઠળ સભ્યપદ જતું હતું. આ લોકો કોર્ટ પ્રત્યે પક્ષપાત કરી રહ્યા છે.
મારા પરિવારે આ દેશની લોકશાહી માટે લોહી વહાવ્યું છે- પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, અમને ઈતિહાસમાં શીખવવામાં આવ્યું હતું કે ગાંધીજીએ લોહી વહેવડાવ્યા વિના દેશને આઝાદી અપાવી હતી, તેથી પ્રિયંકાજીએ પહેલા નક્કી કરવું જોઈએ કે કોંગ્રેસના કયા લોકોએ લોહી વહાવ્યું. મને કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના એક નેતા કહો કે જેણે આઝાદી માટે લોહી વહાવ્યું, કાળા પાણીની સજા થઈ કે અંગ્રેજોએ ગોળી મારી.
ભાજપના નેતાએ કોંગ્રેસના સત્યાગ્રહને ગાંધીજીનું પણ અપમાન ગણાવ્યું હતું. ગાંધીજીએ તેમનો પહેલો સત્યાગ્રહ સામાજિક હેતુ માટે કર્યો હતો જ્યારે અહીં તેઓ તેમના અંગત કારણોસર દોષિત ઠર્યા બાદ કોર્ટ સામે કરતા જોવા મળે છે.
પ્રિયંકા ગાંધીના પરિવારના નિવેદન પર પલટવાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, તમારી દાદી ઈન્દિરા ગાંધીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. બોફોર્સ કૌભાંડમાં રાજીવ ગાંધીનું નામ સામે આવ્યું હતું. તમે કયા પૃષ્ઠભૂમિ વિશે વાત કરો છો?
બીજેપી પ્રવક્તાએ ફરી એકવાર પછાત સમાજના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, ભારતના પછાત સમાજ પ્રત્યે આવો પૂર્વગ્રહ અને જે બેશરમીથી તેઓ તેનું સમર્થન કરી રહ્યા છે. પ્રામાણિકપણે તમારે માફી માંગવી જોઈતી હતી. જો જાતિનું અપમાન કરતું આટલું મોટું નિવેદન બીજા કોઈએ આપ્યું હોત તો તેમણે દેશને આગ લગાવી દીધી હોત.
સુધાંશુ ત્રિવેદીએ પ્રશ્ન પૂછ્યો કે આ સત્યાગ્રહ શેના માટે છે? તેને યોગ્ય ઠેરવવા પછાત જાતિનું અપમાન કર્યું? શું તે અહિંસા વિરુદ્ધ છે?
પરિવારવાદના આરોપો પર પ્રિયંકા ગાંધીએ ભગવાન રામનું ઉદાહરણ આપ્યું. આ અંગે ઝાટકણી કાઢતાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ભગવાન રામ સાથે સરખામણી કરવી ખૂબ જ દુઃખદ છે. ગાંધીજીનો છેલ્લો શબ્દ ઓ રામ હતો અને તેઓ રામ મંદિરની સામે ઉભા હતા. રામને કાલ્પનિક કહેનાર પાર્ટી કોંગ્રેસ આજે રામની વાત કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCJI ચંદ્રચુડના નિવાસ સ્થાને PM મોદીએ ભગવાન ગણેશની કરી આરતી
September 12, 2024 09:18 AMAyushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે
September 11, 2024 10:52 PMપિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાએ લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા
September 11, 2024 10:48 PMPNB Fraud Case: નીરવ મોદી પર EDની મોટી કાર્યવાહી, 29.75 કરોડની સંપત્તિ કરશે જપ્ત
September 11, 2024 10:43 PMપાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત
September 11, 2024 10:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech