કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્રારકા જિલ્લા કલેકટરો સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા કરી રાજકોટ આવશે
બીપરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત રાયભરમાં સર્જાયેલી ખાનાખરાબીનો અહેવાલ મેળવવા અને સર્વે માટે કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું સત્તાવાર સાધનોમાંથી જાણવા મળે છે.
બીપરજોય વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન કચ્છ જિલ્લાને થવા પામ્યું છે અને સરકારના વિભાગ પ્રમાણેની વાત કરીએ તો વીજ કંપનીઓને સૌથી વધુ મોટું નુકસાન થયું છે. રાય સરકારે આ સંદર્ભે રાહત અને સહાયની મોટાભાગની કામગીરી પૂરી કરી દીધી છે. પરંતુ આમ છતાં હજુ ઘણું કરવાનું બાકી હોવાથી ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાની સહાય માટે માગણી કરી છે.
આ માગણીના અનુસંધાને કેન્દ્ર સરકારની ટીમ સીધી જામનગર આવી છે. આ ટીમ આવતીકાલે પોરબંદર પહોંચશે અને ત્યાં કલેકટર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. જામનગરની ટીમ દ્રારકાની મુલાકાત લેશે .કચ્છ માટે અલગથી ટીમ જશે અને જુનાગઢ અમરેલી સહિતના જિલ્લાઓના કલેકટરો અને પીજીવીસીએલ જેટકો સહિતની વીજ કંપનીના એમડી દરાના અધિકારીઓને રાજકોટ ા બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જામનગરમાં આજે સવારે પહોંચ ેલી કેન્દ્ર સરકારની ટીમે જિલ્લા કલેકટર બીજલ શાહ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી અને આવતીકાલે દ્રારકા પહોચનાર હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકારની ટીમના સભ્યો તારીખ ૪ ના બપોરે ત્રણ વાગ્યે રાજકોટ આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ નુકસાન નથી પરંતુ ઉપલેટા ધોરાજી અને જામકંડોરણા વિસ્તારમાં જે થોડું ઘણું નુકસાન થયું છે તેની વિગતો જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને પીજીવીસીએલના અધિકારીઓ પાસેથી મેળવશે.
નુકસાની સર્વે અને ગુજરાત સરકાર દ્રારા રાહત સહાય પેટે જે કાંઈ કામગીરી કરવામાં આવી છે તેની વિગતો લઈને દિલ્હી પહોંચશે અને કેન્દ્ર સરકારને આ ટીમ અહેવાલ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech